Politics
CID secures 10-day custody of IAS officer Gyanendra Kumar and BJP leader over KPSC exam manipulation
August 31, 2026
1,699 views
SCO Summit : શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (એસસીઓ) સમિટ માટે બિશ્કેક પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા પર ભાર મૂક્યો હતો. આ દ્વિપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે અમે યુક્રેનના મુદ્દા પર સતત વાતચીત કરી રહ્યા છીએ. છેલ્લી બેઠકમાં પણ તમે મને આ બાબત સાથે જોડાયેલા તમામ પાસાઓની વિસ્તૃત માહિતી આપી હતી. ભારતે હંમેશા શાંતિના પ્રયાસોને સમર્થન આપ્યું છે અને ચાલુ રાખશે. પ્રધાનમંત્રીએ આગળ કહ્યું કે યુદ્ધનો દરેક પસાર થતો દિવસ માનવતાને પાછળ ધકેલવાનું કામ કરે છે, જ્યારે શાંતિ તરફ લેવામાં આવેલું દરેક પગલું વિશ્વમાં નવી આશા પેદા કરે છે. તેથી આપણે યુદ્ધને ચાલુ રાખવાને બદલે તેને સમાપ્ત કરવા તરફ આગળ વધવું પડશે. તે સમગ્ર માનવતાના હિતમાં છે. &039;દરેક વિવાદનું શાંતિપૂર્ણ નિરાકરણ એ સમયની માંગ છે&039; પ્રધાનમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે તમામ વિવાદો અને મુદ્દાઓનું શાંતિપૂર્ણ નિરાકરણ એ આજના સમયની સૌથી મોટી જરૂરિયાત છે અને આ ભારતનો સ્પષ્ટ સંદેશ પણ છે. પીએમ મોદીએ કહ્યું કે ગાંધી અને બુદ્ધની ભૂમિ પરથી વિશ્વને હંમેશા એક જ સંદેશ મળ્યો છે - શાંતિ અને સંવાદનો માર્ગ એ આગળ વધવાનો માર્ગ છે. Always a delight to meet President Putin. Sharing my remarks during our meeting in Bishkek. https://t.co/cEHwfBsGub — Narendra Modi (@narendramodi) August 31, 2026 ભારત તમારું સ્વાગત કરવા તૈયાર છે - પીએમ મોદી પીએમ મોદીએ કહ્યું કે ભારત થોડા દિવસોમાં બ્રિક્સ સમિટની યજમાની કરી રહ્યું છે અને તમામ ભારતીયો તમારું અને તમારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા માટે ઉત્સુક છે. તમારી મુલાકાત આપણા દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવશે. બ્રિક્સ ફ્રેમવર્કની અંદર સંવાદ અને સહયોગને વધુ મજબૂત કરશે. એસસીઓ સમિટ : બિશ્કેકમાં પીએમ મોદી અને ઈરાનના રાષ્ટ્રપતિ વચ્ચે મુલાકાત, જાણો શું થઇ વાતચીત? પીએમ મોદીએ આ બેઠકમાં પુતિનની પાછલી મુલાકાતનો પણ ઉલ્લેખ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે ગયા વર્ષે તમારી ભારત મુલાકાત ખૂબ જ સફળ અને સાચા અર્થમાં યાદગાર રહી હતી. અમારા માટે ખૂબ જ ખુશીની વાત છે કે અમારો સહયોગ નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે અને અમે બંને દેશોના લોકોના ઉત્કર્ષ માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. દેશહિતને સર્વોપરી રાખીને આગળ વધવાનો અમારો સહિયારો અભિગમ રહ્યો છે અને તે ભવિષ્યમાં પણ અમારો માર્ગદર્શક સિદ્ધાંત બનીને રહેશે.